મુંબઈઃ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ એક શોમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને હોબાળો મચી ગયો છે. કૉમેડિયનની ટિપ્પણીને લઈને શિવસેનાના કાર્યકરોએ રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી એક હોટલમાં તોડફોડ કરી હતી. આ હોટલમાં હેબિટેટ કોમેડી ક્લબ છે, જ્યાં કુણાલે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, શિવસેનાના કાર્યકરોએ ખાર વિસ્તારમાં હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી હતી, જ્યાં શોનું શૂટિંગ થયું હતું. શિવસેનાના કાર્યકરોએ તેમના નેતા પર કરેલી ટિપ્પણી બદલ કામરા વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી હતી.
#WATCH | Mumbai: Shiv Sena (Eknath Shinde faction) workers vandalised Habitat Comedy Club in Khar after comedian Kunal Kamra's remarks on Maharashtra DCM Eknath Shinde here sparked backlash. (23.03)
— ANI (@ANI) March 24, 2025
Source: Shiv Sena (Eknath Shinde faction) pic.twitter.com/L8pkt0TLM6
પોલીસ અધિકારીએ કહ્યું કે શિવસેના પ્રમુખ એકનાથ શિંદે વિરુદ્ધ કામરાના વ્યંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા બાદ પાર્ટીના કાર્યકરો હોટલના ઓડિટોરિયમમાં પહોંચ્યા અને તોડફોડ કરી.
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે પણ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું, 'કુણાલ કા કમાલ'.
કામરાએ ફિલ્મ 'દિલ તો પાગલ હૈ'ના એક હિન્દી ગીતે મોડિફાઈડ વર્ઝનના સહારે શિંદે પર નિશાન સાધ્યું, જેના કારણે દર્શકોમાં હાસ્ય છવાઈ ગયું.
#WATCH | Thane, Maharashtra: Members of Yuva Sena (youth wing of Shiv Sena) staged a protest against comedian Kunal Kamra and even burnt his photographs outside Wagle Estate Police Station, after his remarks against Maharashtra DCM Eknath Shinde in a show yesterday. (23.03)… pic.twitter.com/4l3g9Gu0S0
— ANI (@ANI) March 24, 2025
કામરાને ભારતમાંથી ભાગવું પડશે.
શિવસેનાના સાંસદ નરેશ મહાસ્કેએ કામરાને ચેતવણી આપી હતી કે શિવસેનાના કાર્યકરો દેશભરમાં તેમનો પીછો કરશે. તેણે એક વીડિયો સંદેશમાં કહ્યું. "આપને ભારત છોડીને ભાગવા માટે મજબૂર થવું પડશે,"
#WATCH | Mumbai: On comedian Kunal Kamra's remarks on Shiv Sena Chief and Maharashtra DCM Eknath Shinde, party MP Naresh Mhaske says, " kunal kamra is a hired comedian, and he is making comments on our leader for some money. let alone maharashtra, kunal kamra cannot freely go… pic.twitter.com/UxXtbcnnTh
— ANI (@ANI) March 24, 2025
કુણાલ કામરાને 'ભાડાનો કૉમેડિયન' ગણાવતા, મ્હાસ્કેએ કહ્યું કે તેણે 'સાપની પૂંછડી' પર પગ ન મૂકવો જોઈતો હતો. તેમણે ચેતવણી આપતા કહ્યું કે આનું ગંભીર પરિણામ આવશે. થાણેના સાંસદે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કૉમેડિયને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે પાસેથી પૈસા લીધા છે અને શિંદેને નિશાન બનાવી રહ્યા છે.
શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલે કહ્યું કે તેઓ 'કામરાને તેમની જગ્યા બતાવશે' અને તેમને માફી માંગવા મજબુર કરશે.
હોટેલમાં તોડફોડ એ 'કાયરતાભર્યુ કૃત્ય
તો બીજી તરફ શિવસેના (UBT) ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ હોટલમાં તોડફોડની નિંદા કરી છે અને તેને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું. આદિત્ય ઠાકરે, એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતકું કે, કાયર ટોળકીએ કૉમેડી શોનો મંચ તોડી નાખ્યો છે, જ્યાં કુણાલ કામરાએ એકનાથ શિંદે પર એક ગીત ગાયુ હતું. જે 100 ટકા સત્ય હતું, માત્ર એક અસુરક્ષિત કાયર જ કોઈના ગીત પર પ્રતિક્રિયા આપશે.
ઠાકરેએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે એકનાથ શિંદે દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને નબળા પાડવાનો આ બીજો પ્રયાસ છે.