ETV Bharat / bharat

એકનાથ શિંદે પર કૉમેડિયન કુણાલ કામરાના વ્યંગથી ભડક્યા શિવસેનાના કાર્યકર્તા, હોટલમાં કરી તોડફોડ - KUNAL KAMRA

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કોમેડિયન કુણાલ કામરાની ટિપ્પણીથી રોષે ભરાયેલા શિવસેનાના કાર્યકરોએ મુંબઈના ખારમાં એક હોટલમાં તોડફોડ કરી હતી.

શિવસેનાના કાર્યકર્તા
શિવસેનાના કાર્યકર્તા (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 24, 2025 at 8:44 AM IST

2 Min Read

મુંબઈઃ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ એક શોમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને હોબાળો મચી ગયો છે. કૉમેડિયનની ટિપ્પણીને લઈને શિવસેનાના કાર્યકરોએ રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી એક હોટલમાં તોડફોડ કરી હતી. આ હોટલમાં હેબિટેટ કોમેડી ક્લબ છે, જ્યાં કુણાલે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, શિવસેનાના કાર્યકરોએ ખાર વિસ્તારમાં હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી હતી, જ્યાં શોનું શૂટિંગ થયું હતું. શિવસેનાના કાર્યકરોએ તેમના નેતા પર કરેલી ટિપ્પણી બદલ કામરા વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી હતી.

પોલીસ અધિકારીએ કહ્યું કે શિવસેના પ્રમુખ એકનાથ શિંદે વિરુદ્ધ કામરાના વ્યંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા બાદ પાર્ટીના કાર્યકરો હોટલના ઓડિટોરિયમમાં પહોંચ્યા અને તોડફોડ કરી.

શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે પણ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું, 'કુણાલ કા કમાલ'.

કામરાએ ફિલ્મ 'દિલ તો પાગલ હૈ'ના એક હિન્દી ગીતે મોડિફાઈડ વર્ઝનના સહારે શિંદે પર નિશાન સાધ્યું, જેના કારણે દર્શકોમાં હાસ્ય છવાઈ ગયું.

કામરાને ભારતમાંથી ભાગવું પડશે.

શિવસેનાના સાંસદ નરેશ મહાસ્કેએ કામરાને ચેતવણી આપી હતી કે શિવસેનાના કાર્યકરો દેશભરમાં તેમનો પીછો કરશે. તેણે એક વીડિયો સંદેશમાં કહ્યું. "આપને ભારત છોડીને ભાગવા માટે મજબૂર થવું પડશે,"

કુણાલ કામરાને 'ભાડાનો કૉમેડિયન' ગણાવતા, મ્હાસ્કેએ કહ્યું કે તેણે 'સાપની પૂંછડી' પર પગ ન મૂકવો જોઈતો હતો. તેમણે ચેતવણી આપતા કહ્યું કે આનું ગંભીર પરિણામ આવશે. થાણેના સાંસદે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કૉમેડિયને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે પાસેથી પૈસા લીધા છે અને શિંદેને નિશાન બનાવી રહ્યા છે.

શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલે કહ્યું કે તેઓ 'કામરાને તેમની જગ્યા બતાવશે' અને તેમને માફી માંગવા મજબુર કરશે.

હોટેલમાં તોડફોડ એ 'કાયરતાભર્યુ કૃત્ય

તો બીજી તરફ શિવસેના (UBT) ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ હોટલમાં તોડફોડની નિંદા કરી છે અને તેને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું. આદિત્ય ઠાકરે, એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતકું કે, કાયર ટોળકીએ કૉમેડી શોનો મંચ તોડી નાખ્યો છે, જ્યાં કુણાલ કામરાએ એકનાથ શિંદે પર એક ગીત ગાયુ હતું. જે 100 ટકા સત્ય હતું, માત્ર એક અસુરક્ષિત કાયર જ કોઈના ગીત પર પ્રતિક્રિયા આપશે.

ઠાકરેએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે એકનાથ શિંદે દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને નબળા પાડવાનો આ બીજો પ્રયાસ છે.

  1. 'ધર્મ આધારિત અનામત એ બંધારણનું ઉલ્લંઘન છે' - RSS મહાસચિવ દત્તાત્રેય હોસબોલે
  2. જમિયત ઉલેમા-એ-હિંદે કરી મોટી ઘોષણા : નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ વિશે કહ્યું કંઈક આવું...

મુંબઈઃ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ એક શોમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને હોબાળો મચી ગયો છે. કૉમેડિયનની ટિપ્પણીને લઈને શિવસેનાના કાર્યકરોએ રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી એક હોટલમાં તોડફોડ કરી હતી. આ હોટલમાં હેબિટેટ કોમેડી ક્લબ છે, જ્યાં કુણાલે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, શિવસેનાના કાર્યકરોએ ખાર વિસ્તારમાં હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી હતી, જ્યાં શોનું શૂટિંગ થયું હતું. શિવસેનાના કાર્યકરોએ તેમના નેતા પર કરેલી ટિપ્પણી બદલ કામરા વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી હતી.

પોલીસ અધિકારીએ કહ્યું કે શિવસેના પ્રમુખ એકનાથ શિંદે વિરુદ્ધ કામરાના વ્યંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા બાદ પાર્ટીના કાર્યકરો હોટલના ઓડિટોરિયમમાં પહોંચ્યા અને તોડફોડ કરી.

શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે પણ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું, 'કુણાલ કા કમાલ'.

કામરાએ ફિલ્મ 'દિલ તો પાગલ હૈ'ના એક હિન્દી ગીતે મોડિફાઈડ વર્ઝનના સહારે શિંદે પર નિશાન સાધ્યું, જેના કારણે દર્શકોમાં હાસ્ય છવાઈ ગયું.

કામરાને ભારતમાંથી ભાગવું પડશે.

શિવસેનાના સાંસદ નરેશ મહાસ્કેએ કામરાને ચેતવણી આપી હતી કે શિવસેનાના કાર્યકરો દેશભરમાં તેમનો પીછો કરશે. તેણે એક વીડિયો સંદેશમાં કહ્યું. "આપને ભારત છોડીને ભાગવા માટે મજબૂર થવું પડશે,"

કુણાલ કામરાને 'ભાડાનો કૉમેડિયન' ગણાવતા, મ્હાસ્કેએ કહ્યું કે તેણે 'સાપની પૂંછડી' પર પગ ન મૂકવો જોઈતો હતો. તેમણે ચેતવણી આપતા કહ્યું કે આનું ગંભીર પરિણામ આવશે. થાણેના સાંસદે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કૉમેડિયને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે પાસેથી પૈસા લીધા છે અને શિંદેને નિશાન બનાવી રહ્યા છે.

શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલે કહ્યું કે તેઓ 'કામરાને તેમની જગ્યા બતાવશે' અને તેમને માફી માંગવા મજબુર કરશે.

હોટેલમાં તોડફોડ એ 'કાયરતાભર્યુ કૃત્ય

તો બીજી તરફ શિવસેના (UBT) ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ હોટલમાં તોડફોડની નિંદા કરી છે અને તેને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું. આદિત્ય ઠાકરે, એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતકું કે, કાયર ટોળકીએ કૉમેડી શોનો મંચ તોડી નાખ્યો છે, જ્યાં કુણાલ કામરાએ એકનાથ શિંદે પર એક ગીત ગાયુ હતું. જે 100 ટકા સત્ય હતું, માત્ર એક અસુરક્ષિત કાયર જ કોઈના ગીત પર પ્રતિક્રિયા આપશે.

ઠાકરેએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે એકનાથ શિંદે દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને નબળા પાડવાનો આ બીજો પ્રયાસ છે.

  1. 'ધર્મ આધારિત અનામત એ બંધારણનું ઉલ્લંઘન છે' - RSS મહાસચિવ દત્તાત્રેય હોસબોલે
  2. જમિયત ઉલેમા-એ-હિંદે કરી મોટી ઘોષણા : નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ વિશે કહ્યું કંઈક આવું...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.