મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નાગપુરના રેશિમબાગ સ્થિત સ્મૃતિ મંદિરમાં RSSના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમની સાથે આરએસએસના વડા મોહન ભાગવત, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય નેતાઓ પણ હતા. પીએમ મોદીની આરએસએસ હેડક્વાર્ટરની મુલાકાત પર રાજકારણ શરૂ થયું. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) સાંસદ સંજય રાઉતે સોમવારે દાવો કર્યો હતો કે પીએમ મોદી તેમની નિવૃત્તિની જાહેરાત કરવા માટે આરએસએસ કાર્યાલય ગયા હતા.
સંજય રાઉતે પત્રકાર પરિષદમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "વડાપ્રધાન મોદી નિવૃત્તિની યોજનાઓ પર ચર્ચા કરવા માટે નાગપુરમાં RSS મુખ્યાલય ગયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી નક્કી કરશે. મોદીનો ઉત્તરાધિકારી મહારાષ્ટ્રનો હશે અને RSS તેના પર નિર્ણય લેશે," સંજય રાઉતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
VIDEO | Addressing a press conference in Mumbai, Shiv Sena (UBT) leader Sanjay Raut says, “PM Modi went to the RSS office (PM Modi’s visit to Nagpur) to announce his retirement. As per my knowledge, he has never visited the RSS headquarters in 10-11 years. RSS wants change in… pic.twitter.com/YCcjYR5MEX
— Press Trust of India (@PTI_News) March 31, 2025
સંજય રાઉતને EDના કેસમાં જેલમાં જવું પડ્યું હતું. જેલમાં રહીને તેમણે પોતાના અનુભવો પર એક પુસ્તક લખ્યું છે. આ વિશે માહિતી આપતાં સંજય રાઉતે કહ્યું, "મેં જેલમાં વિતાવેલા મારા અનુભવો પર એક પુસ્તક લખ્યું છે અને તે પૂર્ણ થઈ ગયું છે. તે આગામી 15 દિવસમાં પ્રકાશિત થશે. તમે એવું ન કહી શકો કે હું પુસ્તકમાં રહસ્યો જાહેર કરીશ. આ જેલની અંદર વિતાવેલા સમય અને તે દરમિયાન જેલની બહાર જે કંઈ પણ થઈ રહ્યું હતું તેના વિશેના મારા અનુભવો છે."
તમને જણાવી દઈએ કે પીએમ મોદી રવિવારે RSS હેડક્વાર્ટર ગયા હતા. ત્યાં તેમણે આરએસએસના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્દ્રીય સભ્ય શેષાદ્રિ ચારીએ વડાપ્રધાનની મુલાકાતને "ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક" ગણાવી હતી. આરએસએસ સભ્યએ કહ્યું કે, આરએસએસ અને ભાજપમાં કોઈ ફરક નથી. તેમણે કહ્યું કે, જે લોકો સંઘ અને ભાજપ વિશે કંઈ નથી જાણતા તેઓ કહે છે કે ભાજપ અને આરએસએસ વચ્ચે મતભેદ છે.