વારાણસીઃ 'વધુમાં વધુ યુવાનોને સંઘ સાથે જોડવા છે. અમારે અમારા જૂથોને એટલા મજબૂત કરવા છે, કે લોકો અમારા આચરણને જોઈને યુવા શક્તિ ખુદ અમારી સાથે જોડાવવા ઈચ્છે. યુવા શક્તિએ એક કલાકનો સમય પોતાના સ્વ-વિકાસમાં ફાળવવો જોઈએ. ત્યાર બાદ 23 કલાકનો આત્મ વિકાસનો ઉપયોગ તેઓ સમાજના કલ્યાણ માટે કરે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે શુક્રવારે આ વાત કહી. તેઓ IIT BHU ના NCC ગ્રાઉન્ડ સ્થિત સ્વયંસેવક સંઘની શાખામાં ઉપસ્થિત રહ્યાં. આ દરમિયાન તેમણે વિદ્યાર્થી સાથે વાતચીત કરી. તેમને સંઘની વિચારધારા વિશે માહિતગાર કર્યા. આ પ્રસંગે 100 થી વધુ વિદ્યાર્થીઓએ એકસાથે યોગ કર્યા હતા. મંત્ર ઉચ્ચારણ પણ કર્યા. સંઘ પ્રમુખને જોઈને વિદ્યાર્થીઓએ જય બજરંગી, ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા. મોહન ભાગવતની મુલાકાતને ધ્યાનમાં રાખીને BHUમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
સંઘ પ્રમુખે કહ્યું કે સંઘના પ્રશિક્ષણ સમયગાળામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. પ્રથમ વર્ષનો તાલીમ વર્ગ હવે 15 દિવસનો રહેશે. તેનું નામ પ્રથમ વર્ષ માટે સંઘ શિક્ષા વર્ગને બદલે કાર્યકર્તા વિકાસ વર્ગ હશે. બ્રાન્ચમાં જોડાયા બાદ સંઘ વડા IIT BHUના ગેસ્ટ હાઉસ પહોંચ્યા. અહીં IIT BHUના ડાયરેક્ટર સહિત IMSના ડાયરેક્ટર અને અન્ય પ્રોફેસરો સાથે મુલાકાત કરી હતા.
આજે શનિવારે મોહન ભાગવત કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. કાશીના પ્રબુદ્ધ લોકો સાથે પણ અલગ-અલગ વાતચીત કરશે. ત્યાર બાદ 6 એપ્રિલે માલદહિયા લાજપત નગર જશે અને ત્યાં સંઘની શાખામાં હાજરી આપશે. તેઓ 7 એપ્રિલે લખનૌ જવા રવાના થશે. આ પહેલા તેઓ કાશી પ્રાંતના કાર્યકરો સાથે બેઠક કરશે.