ETV Bharat / bharat

'મંદિરની શુદ્ધિકરણ શા માટે ?' વિપક્ષ નેતા રાહુલ ગાંધીનો ભાજપને પ્રશ્ન - PURIFICATION OF TEMPLE

રાહુલ ગાંધીએ કહ્યું કે, 'ટીકારામ જુલી સાથે થયેલ ઘટના ભાજપની દલિત વિરોધી વિચારસરણીનું વધુ એક ઉદાહરણ છે.'

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી (PTI)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 9, 2025 at 9:51 PM IST

2 Min Read

અમદાવાદ: રાજસ્થાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ટીકારામ જુલીએ મંદિરની મુલાકાત લીધા બાદ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર મંદિરના "શુદ્ધિકરણ" કરવાની બાબતે ભાજપ દલિત વિરોધી છે તેવો આરોપ લગાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે "આ અમારો ધર્મ નથી, કારણ કે આપણો ધર્મ કોઈની સામે ભેદભાવ શીખવતો નથી."

તમને જણાવી દઈએ કે, રાજસ્થાનમાં સત્તામાં રહેલ ભાજપના નેતા જ્ઞાનદેવ આહુજાએ સોમવારે અલવરમાં રામ મંદિરમાં ગંગાજળ છાંટીને "શુદ્ધ" કર્યું, જ્યાં કોંગ્રેસના નેતા ટીકારામ જુલીએ એક દિવસ પહેલા પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપી હતી. અહીં પાર્ટી સંમેલનને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "ટીકરામ જુલીજી રાજસ્થાનના કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા છે. જ્યારે તેઓ મંદિર ગયા ત્યારે ભાજપના નેતાઓએ મંદિરને ગંગાજળથી ધોવડાવ્યું. ભાજપના લોકો દલિત વ્યક્તિને મંદિરમાં પ્રવેશવા દેતા નથી અને જો તે જાય તો મંદિર ધોવાઈ જાય છે."

તેમણે કહ્યું કે, "આ અમારો ધર્મ નથી, કારણ કે આપણો ધર્મ કોઈની સામે ભેદભાવ શીખવતો નથી. આપણો ધર્મ બધા માટે સમાનતા અને આદરની વાત કરે છે." રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસની વિચારધારા બધા માટે સમાનતા અને આદર વિશે છે, જ્યારે ભાજપની વિચારધારા લોકો પ્રત્યે ભેદભાવ અને નફરત વિશે છે. તેમણે કહ્યું કે, "ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ મૂળભૂત તફાવત છે."

તેમણે કહ્યું કે, "આજે બંધારણ છે તે અલગ વાત છે, તેથી કદાચ ભાજપના લોકો તે કહી શકતા નથી, પરંતુ તેઓ બધા સાથે તે જ રીતે વર્તવા માંગે છે જે રીતે ટીકારામ જુલી સાથે વર્તન કરવામાં આવ્યું હતું."

અગાઉ, રાહુલ ગાંધીએ 'X' પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, "ભાજપની દલિત વિરોધી અને મનુવાદી વિચારસરણીનું બીજું ઉદાહરણ છે કે, ભાજપ સતત દલિતોનું અપમાન કરી રહ્યું છે અને બંધારણ પર હુમલો કરી રહ્યું છે. તેથી, ફક્ત બંધારણનું સન્માન કરવું જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તેનું રક્ષણ પણ મહત્વપૂર્ણ છે. મોદીજી, દેશ બંધારણ અને તેના આદર્શો દ્વારા ચલાવવામાં આવશે, મનુસ્મૃતિ દ્વારા નહીં જે બહુજનને બીજા વર્ગના નાગરિક માને છે."

જુલીએ કોંગ્રેસના અધિવેશનને સંબોધતી વખતે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે બંધારણે દેશના તમામ દલિતો, પછાત વર્ગો, મહિલાઓ, મજૂરો અને ખેડૂતોને સમાન અધિકારો આપ્યા છે. તેમણે કહ્યું કે એક તરફ કોંગ્રેસ પાર્ટી છે - જેણે રાજસ્થાનમાં એક દલિત વ્યક્તિને વિપક્ષનો નેતા બનાવ્યો, જ્યારે બીજી તરફ ભાજપ છે - જે વિપક્ષના નેતાનું અપમાન કરે છે.

જુલીએ કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસની વિચારધારા વચ્ચે આ જ તફાવત છે. તેમણે કહ્યું કે, તેથી જે લોકો બાબા સાહેબ આંબેડકરજીના બંધારણને નબળું પાડવા માંગે છે તેમને સત્તા પરથી દૂર કરવાની જરૂર છે.

આ પણ વાંચો:

  1. 'દીદી' પર ભરોસો રાખો... બંગાળમાં વક્ફ સુધારો કાયદો લાગુ નહીં થાય: મમતા બેનર્જી
  2. ઐતિહાસિક તથ્યો, વાસ્તવ બદલી શકશે ?

અમદાવાદ: રાજસ્થાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ટીકારામ જુલીએ મંદિરની મુલાકાત લીધા બાદ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર મંદિરના "શુદ્ધિકરણ" કરવાની બાબતે ભાજપ દલિત વિરોધી છે તેવો આરોપ લગાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે "આ અમારો ધર્મ નથી, કારણ કે આપણો ધર્મ કોઈની સામે ભેદભાવ શીખવતો નથી."

તમને જણાવી દઈએ કે, રાજસ્થાનમાં સત્તામાં રહેલ ભાજપના નેતા જ્ઞાનદેવ આહુજાએ સોમવારે અલવરમાં રામ મંદિરમાં ગંગાજળ છાંટીને "શુદ્ધ" કર્યું, જ્યાં કોંગ્રેસના નેતા ટીકારામ જુલીએ એક દિવસ પહેલા પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપી હતી. અહીં પાર્ટી સંમેલનને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "ટીકરામ જુલીજી રાજસ્થાનના કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા છે. જ્યારે તેઓ મંદિર ગયા ત્યારે ભાજપના નેતાઓએ મંદિરને ગંગાજળથી ધોવડાવ્યું. ભાજપના લોકો દલિત વ્યક્તિને મંદિરમાં પ્રવેશવા દેતા નથી અને જો તે જાય તો મંદિર ધોવાઈ જાય છે."

તેમણે કહ્યું કે, "આ અમારો ધર્મ નથી, કારણ કે આપણો ધર્મ કોઈની સામે ભેદભાવ શીખવતો નથી. આપણો ધર્મ બધા માટે સમાનતા અને આદરની વાત કરે છે." રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસની વિચારધારા બધા માટે સમાનતા અને આદર વિશે છે, જ્યારે ભાજપની વિચારધારા લોકો પ્રત્યે ભેદભાવ અને નફરત વિશે છે. તેમણે કહ્યું કે, "ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ મૂળભૂત તફાવત છે."

તેમણે કહ્યું કે, "આજે બંધારણ છે તે અલગ વાત છે, તેથી કદાચ ભાજપના લોકો તે કહી શકતા નથી, પરંતુ તેઓ બધા સાથે તે જ રીતે વર્તવા માંગે છે જે રીતે ટીકારામ જુલી સાથે વર્તન કરવામાં આવ્યું હતું."

અગાઉ, રાહુલ ગાંધીએ 'X' પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, "ભાજપની દલિત વિરોધી અને મનુવાદી વિચારસરણીનું બીજું ઉદાહરણ છે કે, ભાજપ સતત દલિતોનું અપમાન કરી રહ્યું છે અને બંધારણ પર હુમલો કરી રહ્યું છે. તેથી, ફક્ત બંધારણનું સન્માન કરવું જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તેનું રક્ષણ પણ મહત્વપૂર્ણ છે. મોદીજી, દેશ બંધારણ અને તેના આદર્શો દ્વારા ચલાવવામાં આવશે, મનુસ્મૃતિ દ્વારા નહીં જે બહુજનને બીજા વર્ગના નાગરિક માને છે."

જુલીએ કોંગ્રેસના અધિવેશનને સંબોધતી વખતે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે બંધારણે દેશના તમામ દલિતો, પછાત વર્ગો, મહિલાઓ, મજૂરો અને ખેડૂતોને સમાન અધિકારો આપ્યા છે. તેમણે કહ્યું કે એક તરફ કોંગ્રેસ પાર્ટી છે - જેણે રાજસ્થાનમાં એક દલિત વ્યક્તિને વિપક્ષનો નેતા બનાવ્યો, જ્યારે બીજી તરફ ભાજપ છે - જે વિપક્ષના નેતાનું અપમાન કરે છે.

જુલીએ કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસની વિચારધારા વચ્ચે આ જ તફાવત છે. તેમણે કહ્યું કે, તેથી જે લોકો બાબા સાહેબ આંબેડકરજીના બંધારણને નબળું પાડવા માંગે છે તેમને સત્તા પરથી દૂર કરવાની જરૂર છે.

આ પણ વાંચો:

  1. 'દીદી' પર ભરોસો રાખો... બંગાળમાં વક્ફ સુધારો કાયદો લાગુ નહીં થાય: મમતા બેનર્જી
  2. ઐતિહાસિક તથ્યો, વાસ્તવ બદલી શકશે ?
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.