નવી દિલ્હી : આજે શુક્રવારે વહેલી સવારે રાજ્યસભામાં એક વૈધાનિક ઠરાવ પસાર થયો, જેમાં સંઘર્ષગ્રસ્ત મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની પુષ્ટિ કરવામાં આવી છે. વિવિધ રાજકીય પક્ષોના સભ્યોએ આ નિર્ણયને ટેકો આપ્યો હતો.
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન ! રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં અને હિંસાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહેવા બદલ વિપક્ષી સભ્યોએ કેન્દ્રની ટીકા કરી હતી. જે અંગે સરકારે કહ્યું કે તે રાજ્યમાં સામાન્યતા પુનઃસ્થાપિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેની નીતિ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની નથી.
ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપ્યું : પ્રસ્તાવ પરની ચર્ચાના અંતે બોલતા ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય રાજધાનીમાં મણિપુરના બંને સમુદાયો વચ્ચે ટૂંક સમયમાં બેઠક થવાની શક્યતા વ્યક્ત કરી. અમિત શાહે જણાવ્યું કે, સત્ર દરમિયાન મણિપુરના સમુદાયો વચ્ચે બે બેઠકો થઈ ચૂકી છે. અમે મણિપુરમાં શાંતિ પાછી લાવવા માટે અમારા પ્રયાસો કરી રહ્યા છીએ. 13 બેઠકો યોજાઈ છે. બેઠક ચાલી રહી હોવાથી અમે આ મુદ્દો મોડો ઉઠાવ્યો. આગામી બેઠક યોજાવાની છે અને આ મુદ્દો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, " ... we did not impose the president's rule (manipur) to fall the government, like congress used to do... on february 11, the cm resigned, and everyone claimed it was because congress was going to bring the no confidence motion.… pic.twitter.com/Yr1a80iHe9
— ANI (@ANI) April 3, 2025
કોંગ્રેસ અને વિપક્ષ પર કર્યા ગંભીર આક્ષેપ : ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ અને અન્ય પક્ષો પર ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, વાતચીતનો માર્ગ ખુલ્લો છે. અમે તેનો ઉપયોગ રાજકીય લાભ માટે કરતા નથી.
"મુખ્યમંત્રીએ પોતે રાજીનામું આપ્યું હતું" : ગૃહમંત્રી અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો કે મણિપુરના મુખ્યમંત્રીએ 11 ફેબ્રુઆરીએ રાજીનામું આપી દીધું હતું અને આ સમાચાર આવતાની સાથે જ કોંગ્રેસ પાસે જરૂરી સંખ્યાબંધ સભ્યો ન હોવા છતાં તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા.
#WATCH | Delhi: While speaking on Manipur in the Rajya Sabha, Union Home Minister Amit Shah says, " ... i don't want to politicise this sensitive issue... derek o'brien raised the issue of abuse against women in manipur. there was racial violence, and both communities were against… pic.twitter.com/QCWA7hAs4P
— ANI (@ANI) April 3, 2025
અમિત શાહે કહ્યું કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહના રાજીનામા પછી, પાંચ ધારાસભ્યો સાથે કોંગ્રેસ સહિત અન્ય કોઈ પક્ષે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો નહીં અને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું.
"વિપક્ષે આ મુદ્દા પર કોઈ રાજકારણ ન કરવું જોઈએ" : ગૃહમંત્રી અમિત શાહ
અમિત શાહે કહ્યું કે હિંસાને કારણે અત્યાર સુધીમાં 260 લોકોના મોત થયા છે, પરંતુ 70 ટકા લોકો પહેલા 15 દિવસમાં માર્યા ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 11 વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. અમારી સરકારે તે ફક્ત એક જ વાર લાદ્યું છે.
અમિત શાહે હિંસાનું "રાજકારણ" કરવા બદલ વિપક્ષ પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે કોંગ્રેસના શાસન દરમિયાન રાજ્યમાં આવી જ ઘટના બની હતી. સાત વર્ષ પહેલા મણિપુરમાં 225 દિવસનો કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. કોંગ્રેસના શાસન દરમિયાન પણ કોઈ વડાપ્રધાને મણિપુરની મુલાકાત લીધી ન હતી.