હૈદરાબાદ: તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે તેઓ આતંકવાદને નાબૂદ કરવામાં કેન્દ્રને સંપૂર્ણ સમર્થન આપશે. સાથે જ તેમણે કેન્દ્રને સૂચન કર્યું ઇન્દિરા ગાંધીની યાદ કરતા પાકિસ્તાનને યુદ્ધમાં હરાવીને POKને ભારતમાં સામેલ કરવું જોઈએ.
ગુરુવારે સાંજે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના નેતૃત્વમાં હૈદરાબાદ પીપલ્સ પ્લાઝાથી ઈન્દિરા ગાંધીની પ્રતિમા સુધી કેન્ડલ રેલી યોજવામાં આવી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ, મંત્રી પોનમ પ્રભાકર, સીથક્કા, પોંગુલતી શ્રીનિવાસ રેડ્ડી, દામોદર રાજનરસિમ્હા, જુપલ્લી કૃષ્ણરાવ, MIM નેતા અસદુદ્દીન ઓવૈસી, MLC વિજયશાંતિ અને મેયર ગડવાલા વિજયાલક્ષ્મીએ રેલીમાં ભાગ લીધો હતો.
#PahalgamTerroristAttack | Hyderabad, Telangana: CM Revanth Reddy says, " ...we all will together support the country's prime minister, narendra modi. when china attacked our country in 1967, indira gandhi gave a befitting reply. after that, in 1971, pakistan attacked the country,… https://t.co/dvA6HWHVoc pic.twitter.com/11RAgvPi7U
— ANI (@ANI) April 25, 2025
સીએમ રેવંત રેડ્ડીએ કહ્યું, "...અમે બધા સાથે મળીને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપીશું. જ્યારે 1967માં ચીને આપણા દેશ પર હુમલો કર્યો ત્યારે ઇન્દિરા ગાંધીએ યોગ્ય જડબાતોડ જવાબ આપ્યો હતો. ત્યારબાદ 1971માં પાકિસ્તાને દેશ પર હુમલો કર્યો, ઇન્દિરા ગાંધીએ જડબાતોડ જવાબ આપ્યો અને દેશ (પાકિસ્તાન)ને બે ભાગમાં વહેંચી દીધો...આજે આપણે પાકિસ્તાન સામે કાર્યવાહી કરવી પડશે. આપણે યોગ્ય જવાબ આપવો પડશે. 140 કરોડ ભારતીયો તમારી સાથે છે. પાકિસ્તાનને બે ભાગમાં વહેંચો અને પીઓકેને ભારતમાં ભેળવી દો, અમે બધા તમારી સાથે છીએ..."
ભારત સમિટમાં આવેલા વિદેશી પ્રતિનિધિઓએ પણ રેલીમાં ભાગ લીધો હતો અને પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કેન્દ્રને સૂચન કર્યું કે ભારત સરકારે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં લેવા જોઈએ.
AICC એ 140 કરોડ ભારતીયોને પહેલગામ હુમલાની નિંદા કરવા હાકલ કરી અને કહ્યું કે બધા ભારતીયોએ રાજકારણ અને પક્ષીય વિચારધારાઓને બાજુ પર રાખીને રાષ્ટ્રની રક્ષા માટે એક થવું જોઈએ અને આતંકવાદ સામે લડવું જોઈએ.
રેવંત રેડ્ડીએ કહ્યું કે, તેલંગાણા સરકાર વતી, તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને જાહેરાત કરી કે અમે તે પરિવારો સાથે ઉભા રહીશું. તેમણે કહ્યું કે તેઓ આ મંચ પર પ્રધાનમંત્રીને પોતાનો ટેકો વ્યક્ત કરી રહ્યા છે, દરેક વ્યક્તિએ બધા પક્ષના ઝંડા છોડીને આતંકવાદ સામે લડવા માટે આગળ આવવું જોઈએ. તેમણે કહ્યું કે આપણે ઇન્દિરા ગાંધીને યાદ કરવા જોઈએ અને ફરી એકવાર પાકિસ્તાનને કડક ચેતવણી આપવી જોઈએ, આપણે યુદ્ધમાં પાકિસ્તાનને હરાવી શકીએ છીએ અને PoK ને ભારતમાં ભેળવી શકીએ છીએ.