જોધપુર, રાજસ્થાન: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ કહ્યું છે કે, દેશમાં બે બાળકોનો નિયમ સૌ કોઈ પર કાયદો બનાવીને લાગુ કરવો જોઈએ. જો કાયદો લાગૂ કરવામાં સરકાર નિષ્ફળ નિવડે તો અમે ઈચ્છીશું કે, હિન્દીના ત્રણ બાળકો હોય. સોમવારે જોધપુરમાં મીડિયા સાથેની અનૌપચારિક વાતચીતમાં તોગડિયાએ કહ્યું કે અમે વસ્તી નિયંત્રણ માટે કાયદો બનાવીશું. બે બાળકોનો નિયમ બધાને લાગુ પડવો જોઈએ.
હિન્દુઓનું નામ શેષ ન થઈ જાય તે માટે, અમારું સૂત્ર છે, 'તીન બચ્ચે હિન્દુ સચ્ચે'. અમે આ અંગેનું અભિયાન શરૂ કરી રહ્યા છીએ. તોગડિયાએ કહ્યું કે તેમનું સંગઠન સતત સક્રિય છે. આ વખતે, અમારા સંગઠનના હજારો કાર્યકરોએ સાથે મળીને ૧૪ સ્થળોએ ૨૪ કલાક દોઢ મહિના સુધી સવા કરોડ લોકોને ભોજન જમાડ્યું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મંગળવાર કે શનિવારે દરેક ગામ અને શહેરમાં લોકોને ભેગા કરી રહી છે અને હનુમાન ચાલીસાના પાઠ કરાવી રહી છે. અત્યાર સુધીમાં 30 હજાર હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા છે. 1 વર્ષમાં એક લાખથી વધુ હનુમાન ચાલીસાના પાઠ કરવાની યોજના છે.
હિન્દુ વિકાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી રહી છે: તોગડિયાએ કહ્યું કે જેમ બ્લોકમાં બ્લોક વિકાસ અધિકારી હોય છે. તે રીતે, અમે હનુમાન ચાલીસા કેન્દ્રમાં એક હિન્દુ વિકાસ અધિકારીની નિમણૂક કરી રહ્યા છીએ. જ્યાં પણ હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવશે, તે ગામ કે શહેરની શેરીમાં કોઈ ગરીબ વ્યક્તિ હશે તો તેને મફત ભોજન, સારવાર અને વકીલ મળશે. વાર્ષિક આરોગ્ય તપાસ, બાળકોને તેમની પ્રતિભા અનુસાર તાલીમ આપવી અને તેમને સ્વરોજગાર સાથે જોડવા એ પ્રાથમિકતા રહેશે.