ETV Bharat / bharat

કિશ્તવાડ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓ ઠાર, સુંદરબનીમાં નિયંત્રણ રેખા પર કાર્યવાહીમાં જવાન શહીદ - PAKISTANI MILITANTS KILLED

આજે ઠાર કરાયેલા આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત JeM સાથે જોડાયેલા હતા અને તેમાં એક ટોચનો કમાન્ડર સૈફુલ્લાહ પણ સામેલ હતો.

સુંદરબનીમાં નિયંત્રણ રેખા પર કાર્યવાહીમાં જવાન શહીદ
સુંદરબનીમાં નિયંત્રણ રેખા પર કાર્યવાહીમાં જવાન શહીદ (X@Whiteknight_IA)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 12, 2025 at 12:22 PM IST

1 Min Read

જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા કર્મચારીઓ અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાની છે. તેમાંથી બે આજે (12 એપ્રિલ) માર્યા ગયા હતા, જ્યારે ત્રીજો પાકિસ્તાની આતંકવાદી ગઈકાલે એન્કાઉન્ટરમાં ઠાર કરાયો હતો. જ્યારે સુંદરબનીમાં નિયંત્રણ રેખા પર કાર્યવાહીમાં એક JCO શહીદ થયા છે.

મળતી માહિતી અનુસાર ગુપ્ત બાતમી મળ્યા બાદ, કિશ્તવાડના ચટરૂ વિસ્તારમાં 9 એપ્રિલથી સુરક્ષા દળ દ્વારા આ અભિયાન ચાલાવાઈ રહ્યું છે. સુરક્ષા દળોના આ ઓપરેશનમાં શુક્રવારે એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે આજે આ આતંકવાદીઓ સાથેની એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

M4 કાર્બાઇન અને AK 47 રાઇફલ જપ્ત

કિશ્તવાડના ચટરૂ વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટર બાદ આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે, જેમાં M4 કાર્બાઇન અને AK 47 રાઇફલ જેવા ઘાતક હથિયારોનો સમાવેશ થાય છે.

બે દિવસના એન્કાઉન્ટરમાં 3 પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર

સેનાએ કહ્યું કે ભારતીય સેનાનું કોમ્બિંગ ઓપરેશન ચાલી રહ્યું છે. ગઈકાલથી આજ સુધીમાં આ આતંકવાદી હુમલામાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર મરાયા છે.

કિશ્તવાડ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓ ઠાર
કિશ્તવાડ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓ ઠાર (Etv Bharat)

સેનાનું કહેવું છે કે કિશ્તવાડના દુર્ગમ ભૂપ્રદેશ અને ખરાબ હવામાન છતાં, સૈનિકોનું ઓપરેશન ચટરૂ યથાવત છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે. આમાંથી બે આતંકવાદીઓ આજે અને એક ગઈકાલે માર્યા ગયા હતા. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. દરમિયાન, સુરક્ષા દળોનું ઓપરેશન યથાવત છે.

કિશ્તવાડના ચટરૂ વિસ્તારમાં  9 એપ્રિલથી સુરક્ષા દળ દ્વારા ચાલતું અભિયાન
કિશ્તવાડના ચટરૂ વિસ્તારમાં 9 એપ્રિલથી સુરક્ષા દળ દ્વારા ચાલતું અભિયાન (X@Whiteknight_IA)

પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોને પેરાશૂટનો ઉપયોગ કરીને દુર્ગમ વિસ્તારોમાં ઉતારવામાં આવ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે, 9 એપ્રિલે સેનાએ આ આતંકવાદીઓ સામે આ કાર્યવાહી શરૂ કરી હતી. આ માટે પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોને આ દુર્ગમ વિસ્તારમાં પેરાશૂટ દ્વારા ઉતારવામાં આવ્યા હતા. ચટરૂ વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારમાં ઓપરેશન યથાવત રાખ્યું છે.

  1. જમ્મુ-કાશ્મીર: કઠુઆ એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર, 3 જવાન શહીદ
  2. જમ્મુ- કશ્મીર: હંદવાડામાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 2-3 આતંકવાદીઓની કરી ઘેરાબંદી

જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા કર્મચારીઓ અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાની છે. તેમાંથી બે આજે (12 એપ્રિલ) માર્યા ગયા હતા, જ્યારે ત્રીજો પાકિસ્તાની આતંકવાદી ગઈકાલે એન્કાઉન્ટરમાં ઠાર કરાયો હતો. જ્યારે સુંદરબનીમાં નિયંત્રણ રેખા પર કાર્યવાહીમાં એક JCO શહીદ થયા છે.

મળતી માહિતી અનુસાર ગુપ્ત બાતમી મળ્યા બાદ, કિશ્તવાડના ચટરૂ વિસ્તારમાં 9 એપ્રિલથી સુરક્ષા દળ દ્વારા આ અભિયાન ચાલાવાઈ રહ્યું છે. સુરક્ષા દળોના આ ઓપરેશનમાં શુક્રવારે એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે આજે આ આતંકવાદીઓ સાથેની એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

M4 કાર્બાઇન અને AK 47 રાઇફલ જપ્ત

કિશ્તવાડના ચટરૂ વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટર બાદ આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે, જેમાં M4 કાર્બાઇન અને AK 47 રાઇફલ જેવા ઘાતક હથિયારોનો સમાવેશ થાય છે.

બે દિવસના એન્કાઉન્ટરમાં 3 પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર

સેનાએ કહ્યું કે ભારતીય સેનાનું કોમ્બિંગ ઓપરેશન ચાલી રહ્યું છે. ગઈકાલથી આજ સુધીમાં આ આતંકવાદી હુમલામાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર મરાયા છે.

કિશ્તવાડ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓ ઠાર
કિશ્તવાડ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 3 આતંકવાદીઓ ઠાર (Etv Bharat)

સેનાનું કહેવું છે કે કિશ્તવાડના દુર્ગમ ભૂપ્રદેશ અને ખરાબ હવામાન છતાં, સૈનિકોનું ઓપરેશન ચટરૂ યથાવત છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે. આમાંથી બે આતંકવાદીઓ આજે અને એક ગઈકાલે માર્યા ગયા હતા. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. દરમિયાન, સુરક્ષા દળોનું ઓપરેશન યથાવત છે.

કિશ્તવાડના ચટરૂ વિસ્તારમાં  9 એપ્રિલથી સુરક્ષા દળ દ્વારા ચાલતું અભિયાન
કિશ્તવાડના ચટરૂ વિસ્તારમાં 9 એપ્રિલથી સુરક્ષા દળ દ્વારા ચાલતું અભિયાન (X@Whiteknight_IA)

પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોને પેરાશૂટનો ઉપયોગ કરીને દુર્ગમ વિસ્તારોમાં ઉતારવામાં આવ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે, 9 એપ્રિલે સેનાએ આ આતંકવાદીઓ સામે આ કાર્યવાહી શરૂ કરી હતી. આ માટે પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોને આ દુર્ગમ વિસ્તારમાં પેરાશૂટ દ્વારા ઉતારવામાં આવ્યા હતા. ચટરૂ વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારમાં ઓપરેશન યથાવત રાખ્યું છે.

  1. જમ્મુ-કાશ્મીર: કઠુઆ એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર, 3 જવાન શહીદ
  2. જમ્મુ- કશ્મીર: હંદવાડામાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 2-3 આતંકવાદીઓની કરી ઘેરાબંદી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.