ETV Bharat / state

જામનગર ભાજપ કાર્યાલયમાં બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે બંધારણનું કરાયું પૂજન

author img

By

Published : Nov 26, 2019, 10:24 PM IST

જામનગર: શહેર ભાજપ કાર્યાલય ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બંધારણનું પૂજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શહેર ભાજપના કાર્યકર્તાઓ તેમજ પૂર્વ પ્રધાન વસુબેન ત્રિવેદી, માજી ધારાસભ્ય લાલજી સોલંકી, શહેર પ્રમુખ હસમુખ હિંડોચા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. નાના કાર્યકર્તાથી લઈને મોટા નેતાઓએ પણ શહેર કાર્યાલય ખાતે બંધારણનું પૂજન કર્યું હતું.

જામનગર
જામનગર ભાજપ કાર્યાલયમાં બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે બંધારણનું કરાયું પૂજન

દેશભરમાં આજે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. બંધારણ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સદનમાં ભાષણ આપ્યું હતું. જામનગરમાં પણ ઠેરઠેર બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે બંધારણ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બંધારણનું પૂજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, વિમલભાઈ કગથરા, ધર્મરાજસિંહ જાડેજા, પ્રકાશભાઈ બામણિયા, પૂર્વ પ્રધાન વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, મેયર હસમુખભાઈ જેઠવા ઉપસ્થિત રહ્યાં હતાં.

જામનગર ભાજપ કાર્યાલયમાં બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે બંધારણનું કરાયું પૂજન
Intro:Gj_jmr_01_bjp_savidhan_avb_7202728_mansukh

જામનગરમાં ભાજપ કાર્યાલયે સંવિધાન દિવસની ઉજવણી....સંવિધાનનું કરાયું પૂજન

બાઈટ:હસમુખ હિંડોસા,શહેર પ્રમુખ જામનગર


સંવિધાન દિવસ - ભારત દેશ ધર્મનિરપેક્ષ, પ્રજાસત્તાક, સંસદીય પ્રણાલી ધરાવનાર ગણરાજ્ય છે જેનું સંચાલન, દિશાનિર્દેશન, તમામ કાયદાઓનો સંગ્રહ કે સર્વોચ્ચ કાયદો એ ભારતનું બંધારણ છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે પસાર થયું હતું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. ૨૬ જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઊજવામાં આવે છે. આઝાદી પશ્ચાત સંવિધાન સમિતિ એ 2 વર્ષ 11 મહિના 18 દિવસ પછી 26 નવેમ્બર 1949 ના દિવસે ડો. ભીમરાઉવ આંબેડકર ની સંવિધાન સભા એ સંવિધાન તૈયાર કરી સુપ્રીત કરેલ. 26 નવેમ્બર 2015 ના દિવસે પ્રથમ વખત "સંવિધાન દિવસ" તરીકે મનાવવામાં આવ્યો. આથી 26 નવેમ્બરે ડો ભીમરાવ આંબેડકર ના વિચારોનો પ્રચાર, પ્રસાર તથા સંવિધાન નું અભિભાવન કરવામાં આવે છે.
આ તબક્કે, ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલ ઉદબોધન ને લાઈવ નિહાળવામાં આવેલ તથા સંવિધાન નું પૂજન કરવામાં આવેલ.
આ તબક્કે શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, મહામંત્રી વિમાલભાઈ કગથરા, ધર્મરાજસિંહ જાડેજા, પ્રકાશભાઈ બામાણિયા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વધારાસભ્ય લાલજીભાઈ સોલંકી,મેયર હસમુખભાઈ જેઠવા ઉપસ્થિત રહ્યા હતા....
જામનગર:શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી છે....વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શહેર ભાજપના કાર્યકર્તાઓ તેમજ પૂર્વ પ્રધાન વસુબેન ત્રિવેદી ,માજી ધારાસભ્ય લાલજી સોલંકી ,શહેર પ્રમુખ હસમુખ હિંડોસા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.. .

નાના કાર્યકર્તાથી લઈને મોટા નેતાઓએ પણ આજ રોજ શહેર કાર્યાલય ખાતે સંવિધાનનું પૂજન કર્યું હતું. ... દેશભરમાં આજરોજ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે...ત્યારે જામનગરમાં ઠેરઠેર સંવિધાન દિવસ ની ઉજવણી કરવામાં આવી છે.....

સંવિધાન દિવસ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સદનમાં ભાષણ આપ્યું હતું....ખાસ કરીને દેશ જે સંવિધાનથી ચાલી રહ્યો છે....


Body:મનસુખConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.