ETV Bharat / international

ભારતે માલદીવમાંથી સૈનિકોને સંપૂર્ણપણે પાછા ખેચી લીધાં, રાષ્ટ્રપતિ મુઇઝુની ઓફિસે પુષ્ટિ કરી - India Maldives Row

author img

By ETV Bharat Gujarati Team

Published : May 10, 2024, 1:37 PM IST

માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુના કાર્યાલયના મુખ્ય પ્રવક્તા, હીના વાલીદે જણાવ્યું હતું કે માલદીવમાં તહેનાત ભારતીય સૈનિકોની છેલ્લી બેચને ભારતીય સૈનિકોની સંખ્યા આપ્યા વિના પરત મોકલવામાં આવી છે. આ પગલું માલદીવના વિદેશ પ્રધાન મૂસા ઝમીરની ભારત મુલાકાત સાથે સુસંગત છે.

ભારતે માલદીવમાંથી સૈનિકોને સંપૂર્ણપણે પાછા ખેચી લીધાં, રાષ્ટ્રપતિ મુઇઝુની ઓફિસે પુષ્ટિ કરી
ભારતે માલદીવમાંથી સૈનિકોને સંપૂર્ણપણે પાછા ખેચી લીધાં, રાષ્ટ્રપતિ મુઇઝુની ઓફિસે પુષ્ટિ કરી (Maldives President Mohamed Muizzu(ANI Photo))

માલે : ભારતે માલદીવમાંથી તેના તમામ સૈનિકોને પાછા ખેંચી લીધા છે. માલદીવની સરકારે કહ્યું છે કે, રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ દ્વારા તેમના દેશમાંથી ભારતીય સૈન્ય કર્મચારીઓને સંપૂર્ણ પાછી ખેંચવા માટે 10 મેની નિર્ધારિત સમયમર્યાદા પહેલા આ પગલું સામે આવ્યું.પ્રમુખ મુઇઝુ, જેને વ્યાપકપણે ચીન તરફી નેતા તરીકે જોવામાં આવે છે, તેમણે પોતાના દેશમાંથી ભારતીય સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચવાની અંતિમ તારીખ 10 મે નક્કી કરી હતી. માલદીવમાં તહેનાત લગભગ 90 ભારતીય સૈન્ય કર્મચારીઓને સ્વદેશ પરત મોકલવા એ ગયા વર્ષે તેમના પ્રમુખપદના અભિયાન દરમિયાન મુઇઝુની મુખ્ય ઘોષણા હતી.

પીએમઓ દ્વારા પુષ્ટિ : માલદીવમાં તહેનાત ભારતીય સૈનિકોની છેલ્લી બેચને પરત મોકલવામાં આવી છે તેની રાષ્ટ્રપતિ મુઇઝુના કાર્યાલયના મુખ્ય પ્રવક્તા હીના વાલીદે પુષ્ટિ કરી હતી. રાષ્ટ્રપતિ કાર્યાલયના મુખ્ય પ્રવક્તાએ ભારતીય સૈનિકોની સંખ્યા આપ્યા વિના Sun.mv ન્યૂઝ પોર્ટલને આ માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું કે તહેનાત સૈનિકોની સંખ્યા વિશેની વિગતો પછીથી જાહેર કરવામાં આવશે. ભારતીય સૈન્ય કર્મચારીઓ માલદીવમાં બે હેલિકોપ્ટર અને ડોર્નિયર એરક્રાફ્ટના સંચાલન અને જાળવણી માટે તહેનાત હતા જે ભારતને અગાઉ ભેટમાં આપવામાં આવ્યા હતાં.

ભારત તરફથી સહકાર : અગાઉ, માલદીવ સરકારે જાહેરાત કરી હતી કે આમાંથી 51 સૈનિકોને સોમવારે ભારત પરત મોકલવામાં આવ્યા છે. સરકારે અગાઉ સત્તાવાર દસ્તાવેજોને ટાંકીને માલદીવમાં 89 ભારતીય સૈનિકોની હાજરીની જાહેરાત કરી હતી. ભારત અને માલદીવ 10 મે પહેલા બાકીના ભારતીય સૈનિકોને પાછા ખેંચવા માટે સંમત થયા હતા. ગુરુવારે નવી દિલ્હીમાં એક મીડિયા બ્રીફિંગમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતીય કર્મચારીઓની પ્રથમ અને બીજી બેચ ભારત પરત આવી છે અને "હવે પ્રતિનિયુક્તિ ત્રણ ભારતીય ઉડ્ડયન પ્લેટફોર્મના સંચાલન માટે સક્ષમ ભારતીય તકનીકી કર્મચારીઓની જગ્યા લેવામાં આવી છે.

મુદ્દાને લઇ તણાવ સર્જાયો હતો : માલદીવના વિદેશ પ્રધાન મૂસા ઝમીર ભારતની મુલાકાતે આવ્યા ત્યારે આ દિશામાં કદમ ઉઠાવાયું તે કડીમાં તેઓ ગુરુવારે વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા. તેઓએ દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક સુરક્ષા મુદ્દાઓ પર "વ્યાપક ચર્ચા" કરી હતી. મુઇઝુએ ટાપુ રાષ્ટ્રમાં ત્રણ સૈન્ય પ્લેટફોર્મ ચલાવતા ભારતીય સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચવાનો આગ્રહ કર્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધો ગંભીર તણાવમાં આવ્યાં હતાં. માલદીવ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતનો મુખ્ય દરિયાઈ પડોશી દેશ છે અને મોદી સરકારની SAGAR (પ્રદેશમાં બધા માટે સુરક્ષા અને વૃદ્ધિ) અને નેબરહુડ ફર્સ્ટ પોલિસી જેવી તેની પહેલોમાં વિશેષ સ્થાન ધરાવે છે.

  1. Maldives Presidential Election : માલદીવના નવા રાષ્ટ્રપતિ બન્યાં મોહમ્મદ મુઈઝ, જાણો ભારત સાથેના સંબંધો પર શું પડશે અસર
  2. પહેલાં 'ઈન્ડિયા આઉટ' હવે 'વેલકમ ઈન્ડિયા', ભારતના શહેરોમાં રોડ શો યોજી માલદીવ પ્રવાસીઓને લુભાવશે - India Maldives Row
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.