ETV Bharat / bharat

બુંદેલખંડ સાધવા ઝાંસી પહોંચ્યા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ, જાહેર સભામાં જનમેદની ઉમટી - Lok Sabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : May 14, 2024, 4:03 PM IST

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ ઉત્તરપ્રદેશમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.  બુંદેલખંડ સાધવા માટે ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈ કિલ્લાની તળેટીમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. બંને નેતાઓને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

બુંદેલખંડ સાધવા ઝાંસી પહોંચ્યા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ
બુંદેલખંડ સાધવા ઝાંસી પહોંચ્યા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ (ETV Bharat Desk)

ઉત્તર પ્રદેશ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આજે 14 મે, મંગળવારના રોજ ઝાંસી પહોંચ્યા છે. અહીં ઝાંસી લોકસભા બેઠક પરથી ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રદીપ જૈનના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે. જેના ભાગરૂપે આ બંને નેતા રાણી લક્ષ્મીબાઈ કિલ્લાની તળેટીમાં આયોજિત જનસભાને સંબોધિત કરશે.

ઝાંસીમાં ઈન્ડિયા ગઠબંધનની જાહેરસભા : ઝાંસી-લલિતપુર લોકસભા બેઠક સમગ્ર બુંદેલખંડની સૌથી મહત્વપૂર્ણ સીટ માનવામાં આવે છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ જૈન આદિત્ય 2009માં આ જ બેઠક પર જીત્યા અને કેન્દ્ર સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસના ઉમેદવારના જનતા સાથેના જોડાણના કારણે ભાજપના ઉમેદવારની મુશ્કેલીઓ વધી છે. આ લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ પાંચમી જનસભાને સંબોધિત કરી રહ્યા છે. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને સાંભળવા માટે લક્ષ્મીબાઈ કિલ્લામાં કાર્યકરોની ભીડ ઉમટી પડી છે.

  1. વડાપ્રધાન મોદી નામાંકન લાઈવ : કાલ ભૈરવના આશીર્વાદ લઈ પીએમ મોદીએ ઉમેદવારી પત્ર ભર્યું
  2. ગાયને પશુઓની યાદીમાંથી હટાવી રાષ્ટ્રની માતા તરીકે નોંધણી કરવાની માંગ કરવામાં આવી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.